E-Citizen
 
 
માન. મુખ્‍ય મંત્રીશ્રી કન્‍યા કેળવણીનિધિ
  ૨૦૦૩-૦૪ થી સ્‍ત્રી કેળવણીને પ્રોત્‍સાહન મળે તેમજ કન્‍યાઓમાં તેમના શૈક્ષણિક વિકાસ માટે પડતી આર્થિક મુશ્‍કેલીઓમાં મદદરૂપ થઇ શકાય તે હેતુથી માન. મુખ્‍ય મંત્રીશ્રીને કેળવણીનિધિની રચના કરવામાં આવેલ છે.
  માન. મુખ્‍ય મંત્રીશ્રીને વિવિધ પ્રસંગે મળેલ ભેટ-સોગાદો સરકારમાં જમા કરાવી તેના વેચાણમાંથી મળતી રકમનો ઉપયોગ કન્‍યા-કેળવણીનિધિમાં જમા કરવામાં આવે છે.
  આ યોજના હેઠળ રૂ. ૧૪.૫૦ કરોડ જેટલું માતબર દાન ટૂંક સમયમાં મળેલ છે. ભારત સરકારના આવકવેરા વિભાગ દ્વારા માન. મુખ્‍ય મંત્રીશ્રી કન્‍યા-કેળવણીનિધિમાં દાન.
  આપનાર દાતાને ૮૦(જી)(૫) કલમ અન્‍વયે કરવેરામાં મુક્તિ મળતી હોવાથી દાતાઓ દ્વારા દાન આપવાનો પ્રવાહ વધ્‍યો છે.
  રાજ્ય સરકાર દ્વારા કન્‍યાઓના તેમના શિક્ષણકાર્ય માટે પડતી આર્થિક મુશ્‍કેલીઓમાં કન્‍યા કેળવણીનિધિમાંથી કેવી રીતે મદદરૂપ થઇ શકાય તેના ચોક્કસ નિયમો નક્કી કરવામાં આવેલ છે.